પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ
પશ્ચિમ ગુજરાત,જે તેની ધાર્મિકતા, દરિયાકાંઠા, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. દ્વારકા, સોમનાથ, જુનાગઢ, નાગેશ્વર, ગિરનાર, શિવરાજપુર બીચ, અને ઉત્તર ગુજરાતમાં આવેલ ચોટીલાની મુલાકાત લીધી હતી. જેનો અનુભવ ખૂબ જ આનંદદાયક અને યાદગાર રહ્યો. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી વિદ્યાર્થીને નવું નવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસ નો મતલબ ફરવાનો જ નથી, પરંતુ તે સ્થળની વિશેષ જાણકારી મેળવવાનો પ્રકૃતિના સૌંદર્યતા ને નિહાળવાનો છે. મારી શાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વેડછી માંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળતી હતી. અમારી શાળા દ્વારા એક વખત પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેનો અનુભવ હું આજે પણ ભૂલી નથી. પાંચ-છ શિક્ષકો સાથે અમે વિદ્યાર્થીઓ બસ દ્વારા પશ્ચિમ ગુજરાતના પ્રવાસ માટે નીકળ્યા. શિક્ષકો અમને બધાને પશ્ચિમ ગુજરાતના પ્રવાસ ના દરેક સ્થળ વિશે જાણકારી આપતા હતા. અમે રાતના 09:00 વાગે જેમ શાળાથી શિક્ષકો સાથે બસમાં બેસી પ્રવાસ માટે નીકળ્યા. અમારો પ્રવાસ દ્વારકા થી શરૂ થયો. અમે સવારના સાત આઠ વાગે જેમ દ્વારિકા પહોંચ્યા હતા. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની પવ...